
આંબાની ખેતી માટે યોગ્ય જાતોની પસંદગી, વાવેતરનું યોગ્ય અંતર, ખાતરનું સંકલિત વ્યવસ્થાપન અને હવામાન પરિવર્તનનો અસરકારક પ્રભાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માર્કેટમાં માંગ ધરાવતી જાતો જેવી કે કેસર, દશેરી અને તાલીમના હેતુ માટે રજપૂરી, તોતાપુરી જેવી જાતો પસંદ કરવી. જમીનના પ્રકાર મુજબ 3x3 મીટરથી 10x10 મીટર અંતર રાખવું. ખાતરમાં સેંદ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનું સંયોજન અપનાવવું. બદલાતા હવામાનમાં તાપમાન અને ભેજના પ્રમાણ પર નિરીક્ષણ રાખવું, યોગ્ય સમયે પિયત અને પોષણ આપવું. આ તમામ પદ્ધતિઓને અનુસરી ખેતરમાં વધુ ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં મદદ મળે છે.
- Teacher: Nitesh Prajapati

આ કોર્સ થકી તમને જીવામૃત બનાવવાની રીત વિષે ની માહિતી મળશે, "જીવામૃત" એક ઉપયોગી પ્રવાહી ખાતર છે, જે દેશી ગાયનું પેશાબ અને છાણ, ગોળ, કઠોળનો લોટ, છાસ અને માટીનો ઉપયોગ કરીને 15 દિવસ કોહવડાવવાથી બને છે. તે પાકના પોષણ માટે છંટકાવ અને જમીનમાં ટપક પદ્ધતિથી ઉપયોગી છે, ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે.
- Teacher: Nitesh Prajapati