આંબાના પાકમાં બદલાતા વાતાવરણની અસર અંગે માહિતી
🔸 આંબો ખૂબ સેંસેટિવ પાક છે
· ઘણા વખતથી ખેડૂત મિત્રો વિચારતા હોય છે કે આ વર્ષે ફૂલ વહેલા કેમ આવ્યા?
· આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ફૂલ આવવા લાગ્યા – વાતાવરણના બદલાતા પ્રભાવના કારણે.
🔸 ફૂલ આવવા માટે શું શરતો જોઈએ?
· 3 થી 7 મહિના જૂની ડાળી હોવી જોઈએ.
· રાત્રિનું તાપમાન 15°C થી ઓછું હોવું જોઈએ.
· આ તાપમાન 4 થી 5 દિવસ સુધી સતત રહેવું જોઈએ.
· ઉપરોક્ત બંને શરતો સાથે ડાળીઓનું સમન્વય થાય ત્યારે જ ફૂલ આવવાની પ્રક્રિયા શરૂ થાય છે.
🔸 ફૂલ આવવાની શરૂઆતની ઓળખ
· વાડીમાં જે જગ્યા પરથી ફૂલ નીકળવાનું હોય ત્યાં ડાળીઓ ઉપશેલી દેખાય છે.
🔸 લેટ ફૂલ આવવાનું કારણ
· જ્યારે રાત્રિનું તાપમાન 12°C, 11°C કે 10°C રહે છે ત્યારે ફૂલ આવવામાં મોડું થાય છે.
🔸 તાપમાન નિયંત્રણ માટે શું કરવું?
· રાત્રે હળકું પાણી આપવાથી તાપમાન 2°C સુધી વધી શકે છે, જે ફૂલ માટે અનુકૂળ થાય છે.
🔸 તાપમાન તફાવતનો ખતરો – ફળ ખરણ થવાની શક્યતા
· જ્યારે દિવસનું તાપમાન 37°C–38°C અને રાત્રિનું 16°C–17°C હોય,
· અને દિવસ-રાત્રિના તાપમાના વચ્ચે 17°C કરતાં વધુ તફાવત રહે
· આવી સ્થિતિ 4 થી 5 દિવસ રહે ત્યારે ફળ ખરવાની સંભાવના વધારે થાય છે.
🔸 ફળ ખરવા થી બચાવ માટે શું કરવું?
હળકું પિયત આપવું
· મલ્ચિંગ કરવું (ઝાડ નીચે ઘાસ/પલાશ પાથરવી) – જમીનનું તાપમાન બેલેન્સ રહે.
🔸 ફૂલ આવે એ સમયે પાણી કેવી રીતે આપવું?
➡️ જો ફૂલ આવે એ પહેલાં પિયત ન આપેલું હોય તો:
· નિક અને પાળા પદ્ધતિથી પિયત આપવું, એટલે કે નિકમાં પાણી જાય એટલું જ આપવું.
➡️ ફૂલ આવે એ પહેલાં પિયત આપેલું હોય તો:
· ત્યારબાદ પિયત આપતી વખતે ખાતર સાથે આપવું, જેથી ફૂલો અને ફળનો સારો વિકાસ થાય.