આંબાના પાકમાં ખાતર વ્યવસ્થાપન અંગે માહિતી
🔸 ખાતર આપવા માટે યોગ્ય સમય
· ચોમાસાની શરૂઆત થાય અને કેરી ઉતરી જાય પછી ખાતર આપવું જોઈએ.
· એપ્રિલ – મે મહિનામાં પણ ખાતર આપીને ચોમાસામાં બચાવ કરી શકાય.
🔸 ખાતર નાખવાની પદ્ધતિ
· સામાન્ય રીતે રીંગો બનાવી ખાતર નાખવામાં આવે છે.
· હાલ મજૂરોની અછત હોવાથી ટ્રેક્ટરથી રિજરીયા પાડી અને તેમાં ખાતર નાખવું વધુ સરળ અને અસરકારક છે.
🔸 સેંદ્રિય ખાતર (એપ્રિલ – મે માસમાં)
· દરેક પુખ્ત ઝાડ માટે ઓછામાં ઓછું 100 કિલો સારી રીતે ઊંડે વસેલા સેંદ્રિય ખાતર આપવું.
🔸 રસાયણિક ખાતર (ચોમાસાની શરૂઆતમાં)
➡️ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલ ભલામણ:
· 750 ગ્રામ નાઈટ્રોજન (N)
· 160 ગ્રામ ફૉસ્ફરસ (P)
· 750 ગ્રામ પોટાશ (K)
🔸 પાણીની સગવડ નથી તો ખાતરનું જથ્થો
· 1700 ગ્રામ યુરિયા
· 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ
· 1.5 કિલો મ્યુરેટ ઓફ પોટાશ
🔸 પાણીની સગવડ હોય તો ચોમાસામાં આપવાનો જથ્થો
· 1 કિલો યુરિયા
· 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ
· 1.5 કિલો મ્યુરેટ ઓફ પોટાશ
➕ બાકી રહેલો 1 કિલો યુરિયા કેરી વટાણા જેવી થાય ત્યારે પાણી સાથે આપવો.
🔸 જૈવિક ખાતરો પણ લાભદાયી
· એઝેટોબેક્ટર
· પી.એસ.બી. (ફોસ્ફેટ સોલ્યુબિલાઈઝિંગ બેક્ટેરિયા)
· ઝીંક મોબિલાઈઝિંગ બેક્ટેરિયા
👉 આ બધા સેંદ્રિય ખાતર સાથે મિક્સ કરીને આપવાથી ખાતરની બચત અને જમીનની ફળદ્રુપતા બે ઉત્તમ થાય છે.