આંબાના પાકમાં જાતોની પસંદગી અંગે માહિતી
Completion requirements
· આંબામાં નવું વાવેતર કરવું ખૂબ અગત્યનું છે.
· જાતની પસંદગી કરતી વખતે બજારમાં જે જાતોની ડિમાન્ડ વધારે હોય, એ પસંદ કરવી જોઈએ.
· હાલમાં, કેસર અને દશેરી જેવા આંબાની જાતો પસંદ કરી શકાય છે, કેમ કે આ જાતોની માર્કેટમાં સારી ડિમાન્ડ છે.
· આંબાવાડીમાં 12 થી 15% બીજી જાતો પણ વાવવી જોઈએ.
· ઉદાહરણ તરીકે, જો 100 ઝાડ કેસરનાં વાવીએ, તો 12 થી 15 ઝાડ તોતાપુરી, રાજાપુરી અથવા દશેરી જેવા વાવવી.
· આ રીતે પરાગસંચાર (પોલિનેશન) સારી રીતે થાય છે, જેનાથી પાકના પરિણામો પણ સારાં હોય છે.
· વહેલી અને મોડી આવતી જાતોની પસંદગી કરવી:
- વહેલી આવતી જાતો: દશેરી, તોતાપુરી
- મોડી આવતી જાતો: રત્ના, લંગડો
· છેલ્લા 4-5 વર્ષથી વાતાવરણમાં મોટું ફેરફાર આવી રહ્યો છે. આ બદલાતા વાતાવરણમાં ટકી રહેતી જાતો પસંદ કરવી, જેમ કે:
- નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી સોનપરી, તોતાપુરી.
· આ જાતો એવા વાતાવરણમાં સારું પરિણામ આપે છે.